ઉપાડી ગાંસડી વેઠની રે

મીરાબાઈ
ભજનકૃષ્ણ
18
ઉપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય? એ છે રણછોડરાય શેઠની રે એ છે શામલશા શેઠની રે. કેમ નાખી દેવાય? ઊની ઊની રેતીમાં પગ તપે છે, લૂ વાય છે માસ જેઠની રે, કેમ નાખી દેવાય? બાઇ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, લ્હે લાગી છે મને ઠેઠની રે, કેમ નાખી દેવાય?
મીરાબાઈ